Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મહિસાગર નદીમાં વડોદરાના સ્કૂલ વાનના ચાલકે આપઘાત કર્યો

વડોદરા:  શહેરના સમા વિસ્તારમાં રહેતા અને સ્કુલ વાન ચલાવીને જીવન ગુજરાન ચલાવતા એક અપરિણીત યુવાને ગઈકાલે સાંજના સુમારે ઉમેટા બ્રીજ પરથી મહિસાગર નદીમાં મોતની છલાંગ લગાવીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યાવહી હાથ ઘરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સમા વિસ્તારની નવી નગરીમાં રહેતો મનીષભાઈ ભીખાભાઈ પરમાર (ઉ. વ. ૨૧)ગઈકાલે પોતાની સ્કુલ વાન નંબર જીજે-૬, ડીસી-૯૨૨૭ની લઈને ઉમેટા બ્રીજ પર આવ્યો હતો અને સ્કુલ વાનને રોડની સાઈડે ઉભી કરી દઈને નદીમાં ઝંપલાવી દીધું હતુ. આ તરફ મોડી સાંજ સુધી મનિષ ઘરે પરત ના ફરતા તેની શોધખોળ હાથ ઘરવામાં આવી હતી જેમાં તેની સ્કુલ વાન ઉમેટા બ્રીજ પરથી મળી આવતાં તુરંત જ આંકલાવ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને નદીમાં તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. પ્રાથમિક તપાસમાં મનિષના આપઘાત પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ઘરી છે.

 

(4:32 pm IST)