Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

શિક્ષાસુધારકનું વિમોચન

અમદાવાદ : કેતનખત્રી : ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના કરકમલો દ્વારા યમુના પુલીન ટ્રસ્ટ તેમજ રેખાબેન ભરતભાઇ રાજપોપટ દ્વારા લેખીત શિક્ષાસુધારક ગ્રંથનું વિમોચન યોજાયેલ. શિક્ષાસુધાકરમાં શ્રી મહાપ્રભુજી અને હરિરાયજી રચિત શિક્ષાપત્રના અમુલ્ય ૪૧ શ્લોકોના ચુનંદા પદનું વૈષ્ણવો માટે સરળભાષામાં સમજણ, વિસ્તરણ અને અનુવાદ કરવામાં આવે છે. તેની સાથે સાથે શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન નામની એપ્લીકેશનનું પણ ઉદઘાટન રાખવામાં આવ્યુ હતુ. યમુના પુલીન ટ્રસ્ટ તેમજ રેખાબેન ભરતભાઇ રાજપોપટ દ્વારા આગળ પણ શ્રી યમુનાષ્ટકમ નામનો ગ્રંથ ગુજરાતી હિન્દી અંગ્રેજી ત્રણેય ભાષામાં પ્રકટ કર્યો હતો. (૪૫.૨)

(2:40 pm IST)