Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સિંહ સંવર્ધન પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૯૮ કરોડ ફાળવાયા

રાજકોટ, તા. ૯ :  કેન્દ્ર સરકાર દ્વારા સિંહોના સંવર્ધન પ્રોજેકટ માટે રૂ. ૯૮ કરોડની ફાળવણી કરવામાં આવતા સિંહ પ્રેમીઓમાં ખુશાલી છવાઇ છે.

કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારતમાં સિંહ સંવર્ધન માટે પ્રથમ વખત પ્રોજેકટ લોન્ચ કર્યો છે જેમાં કન્દ્ર અને રાજય સરકાર બન્ને મળીને સિંહોના સંવર્ધન માટે કામગીરી  કરશે.

કેન્દ્રીયમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે સિંહ સંવર્ધન પ્રોજેકટ ૩ વર્ષ સુધી ચાલશે જેમાં ગુજરાત સરકારને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટના નાણા આપવામાં આવ્યા છે. એશિયાટીક સિંહ સંવર્ધન માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટ લોન્ચ કર્યો છે.(૯.૭)

(2:39 pm IST)