Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અરવલ્લી: રાણા સૈયદ ચોકડી પાસે જાહેરમાં શૌચ ક્રિયા મામલે ઝઘડો :સ્થાનિકોનો જાનની બસ પર પથ્થરમારો

જાનૈયાઓ અને સ્થાનિકો વચ્ચે મારામારી :બસના કાચ તોડ્યા :એકને ઇજા

અરવલ્લીના રાણાસૈયદ બાયપાસ રોડ પર લઘુશંકા માટે ના પાડતાં મુસાફરો અને સ્થાનિક વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને સ્થાનિકોએ ખાનગી બસ પથ્થરમારો કર્યો હતો. જેથી બસના કાચ તૂટી ગયા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ જાનૈયા ભરેલી લકઝરી પર પથ્થરમારો કર્યો હતો રાણા સૈયદ ચોકડી પાસે જાનૈયાઓ અને સ્થાનિક ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી

  જાણવા મળ્યા મુજબ સ્થાનિકે જાનૈયાઓને જાહેરમાં શૌચ કરવાની ના પાડતા ઝઘડો થયો હતો. રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે મોડાસા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

  જાનૈયા દારૂના નશામાં હોવાનું કહેવાય છે, જ્યારે તેમણે સ્થાનિક ચાની લારીવાળાને પણ માર માર્યો હતો. પથ્થરમારા બાદ પોલીસ પ્રોટેક્શનમાં બસ લઈ જવાઈ હતી.

(12:16 pm IST)