Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કાલે વણજોયુ મુહુર્ત વસંત પંચમીઃ અનેક શુભકાર્યો

સમુહ લગ્ન, વ્યાવસાયિક પેઢીઓનું ઉદ્દઘાટન સહિતના અસંખ્ય કાર્યો કરાશે

રાજકોટ તા.૯: કાલે વણજોયું મુહૂર્ત વસંત પંચમી. આ દિવસે અનેક શુભકાર્યો સાથે માંગલીક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

કાલે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી માતાજીના પૂજન-અર્ચનનું પણ વિશેષ મહત્વ હોવાથી સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરવામાં આવશે.

કાલે પારિવારિક લગ્નો, સમુહલગ્નો, વ્યાવસાયિક પેઢીઓનું ઉદ્દઘાટન સહિતના અસંખ્ય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

(11:32 am IST)