Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

16મીથી દેશભરમાં કોરોના રસીકરણની પીએમની જાહેરાતને આવકારતા મુખ્યમંત્રી રૂપાણી: રાજ્યમાં તમામ પૂર્વ તૈયારી પૂર્ણ

કોરોના વોરિયર્સ એવા તબીબો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને અગ્રતા અપાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ  આગામી 16 જાન્યુઆરીથી  સમગ્ર ગુજરાતમાં કોરોના સામેના જંગમાં રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાની જાણકારી ટ્વીટરના માધ્યમથી આપી છે

મુખ્યમંત્રીએ આ અભિયાન દેશભરમાં 16 જાન્યુઆરી થી શરુ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની જાહેરાતને આવકારતા વડાપ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગુજરાતે આ રસીકરણ અભિયાનની શરુઆત માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે
રસીકરણ અભિયાનની શરુઆતમાં કોરોના વોરિયર્સ એવા તબીબો આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને  અગ્રતા આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીએ  પોતાના ટ્વીટ માં જણાવ્યું છે

(6:57 pm IST)