Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતીઃ આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા રાજયપાલશ્રી

રાજકોટ, તા. ૯ : ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી સદગતને શ્રદ્ઘાંજલિ પાઠવી છે.

રાજયપાલશ્રી એ સ્વ. માધવસિંહ સોલંકીને શ્રદ્ઘાંજલિ પાઠવતા જણાવ્યું છે કે સ્વ. સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજયપાલશ્રી એ જણાવ્યું હતુ કે સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. રાજયપાલશ્રી એ પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્મા ને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શકિત પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યકત કરી છે.

(2:46 pm IST)