Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

ભરૂચના નર્મદા ચોકડી નજીક નેશનલ હાઇવે અડીને આવેલ હોટલ ન્યાય મંદિરમાં ભીષણ આગ ભભૂકી :ફાયર ફાયટરો પહોંચ્યા : વાહનોને ડાઇવર્ટ કરાયા : મોટું નુકશાન થયાનો અંદાજ

ભરૂચના નર્મદા ચોકડી નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ હોટલ ન્યાય મંદિર માં અચાનક આગ લાગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો હાઈવેની એકદમ અડીને આવેલી આ હોટેલ માં આગ લાગવાના કારણે વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પણ ભરૂચના નગરપાલિકાના ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા છે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગ ભયંકર અને ભીષણ હોવાથી મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે

(10:01 pm IST)