Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1531 દર્દીઓએ સ્વસ્થ થયા: નવા 1325 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત :મૃત્યુઆંક 4110 થયો : કુલ 2,03,111 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,21,493 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 294 કેસ, સુરતમાં 214 કેસ,વડોદરામાં 171 કેસ,રાજકોટમાં 129 કેસ, ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 47 કેસ,જામનગરમાં 46 કેસ બનાસકાંઠામાં 40 કેસ, સુરેન્દ્રનગરમાં 26 કેસ ભરૂચમાં 24 કેસ, કચ્છમાં 21 કેસ નોંધાયા :રાજયમાં હાલ 14,272 એક્ટિવ કેસ

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયાની સાથે રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો થઇ રહયો છે, દિવાળી પહેલા કોરોના વાયરસ ધીમો પડયો  હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં આજે 1325 નવા કેસ નોંધાતા ભારે ચિતાની લાગણી પ્રસરી છે  જોકે આજે વધુ 1531 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 1325 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 1531 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,21,493 થઇ છે જયારે આજે વધુ 1531 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,03,111 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 15 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4110 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 91,70 થયો છે

  રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જેમાંથી 78 વેન્ટિલેટર પર જ્યારે 14,194 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 60,875 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં 83,71,433 ટેસ્ટ કરવામાં આવ્યા છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3,અમરેલીમાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1  અને વડોદરામાં 1 મળીને કુલ 15 લોકોના મોત થયા છે

રાજ્યમાં આજે નોંધાયેલા 1325 નવા કેસમા સૌથી વધુ અમદાવાદમાં 294 કેસ, સુરતમાં 214 કેસ,વડોદરામાં 171 કેસ,રાજકોટમાં 129 કેસ, ગાંધીનગરમાં 50 કેસ,મહેસાણામાં 47 કેસ,જામનગરમાં 46 કેસ બનાસકાંઠામાં 40 કેસ, સુરેન્દ્રનગરમાં 26 કેસ ભરૂચમાં 24 કેસ, કચ્છમાં 21 કેસ નોંધાયા છે

(7:37 pm IST)