Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

હાલોલ નજીક એમજીવીસીએલની કામગીરી દરમ્યાન વીજ થાંભલા પરથી નીચે પટકાતા કામદારનું કરુણ મૃત્યુ નિપજતા ચકચાર

પંચમહાલ: જિલ્લાના રીછીયા ગામનો સુરેશ બળવંતભાઇ ચૌહાણ અરાદ રોડ પર MGVCLની મેઈન્ટેનન્સની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ વીજ થાંભલા પરથી પડી ગયો હતો. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કામદારના મોતને પગલે આસપાસના લોકો તુરંત જ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દર મંગળવારે MGVCL દ્વારા શહેર અને તાલુકા વિસ્તારોમાં મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવે છે. આજે અરાદ રોડ પર કામગીરી ચાલુ હતી, તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કામદારે જીવ ગુમાવ્યો હતો. જેને પગલે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

(5:43 pm IST)