Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020

સહકારી ક્ષેત્રે જાણીતા અને અમદાવાદની સોશ્યલ કો. ઓ. બેન્કના દીર્ઘકાલીન મેનેજર શંકરલાલ કે. સોમપુરાનું દુઃખદ અવસાન

વરિષ્ઠ પત્રકાર, NRG સેન્ટરના માન. ચેરમેન, વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી દિગંત સોમપુરાના પિતાજી શંકરલાલ હેંડી ક્રાફટ બોર્ડમાં લાંબા સમય સુધી ડાયરેકટર હતા : આકાશવાણી, લેબર બોર્ડમાં પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપી હતી

અમદાવાદ : સહકારી ક્ષેત્રે જાણીતા અને અમદાવાદની સોશ્યલ કો.ઓ. બેન્કના દીર્ઘકાલીન મેનેજર શંકરલાલ કે. સોમપુરાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયું છે. વરિષ્ઠ પત્રકાર, NRG સેન્ટરના માન. ચેરમેન, વિશ્વ ગુજરાતી સમાજના મંત્રી દિગંત સોમપુરાના પિતાજી શંકરલાલ સ્વ. ચીમનભાઈ સરકારમાં પણ સક્રિય રીતે સંકળાયેલા હતા. હેંડી ક્રાફટ બોર્ડમાં તેઓએ લાંબા સમય સુધી ડાયરેકટર પણ રહ્યા હતા.

 ઉપરાંત, તેઓએ આકાશવાણી, લેબર બોર્ડમાં પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપી હતી .વિશ્વભરના ગુજરાતીઓ અને ગુજરાતી સમુદાયો સાથે ઘનિષ્ઠ રીતે દિગંત સોમપુરા વર્ષોથી જોડાયેલા રહ્યા છે. પિતા શંકરલાલ સોમપુરાના સહકારની ભાવના દિગંતભાઇ યુકે માં પણ જીવંત રાખવાનો હંમેશા પ્રયાસ કરી રહ્યા છે.

 વિમળાબેન શંકરલાલ સોમપુરા,,સ્વ,પ્રશાંત શકારલાલ સોમપુરા.મીનલ હર્ષદકુમાર ખડોદરા ( ભાવનગર ), હર્ષદકુમાર રામજીભાઈ ખાંડોદરા (ભાવનગર )અને ભત્રીજા પંડિત ફુલચંદ શાસ્ત્રીજી , દિગંત શંકરલાલ સોમપુરા 3, જનક સોસાયટી, નવરંગપુરા અમદાવાદ -3800014 ( મોં,91 968 702 6886 )

(11:32 pm IST)