Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

હું તેવા લોકો માટે મરીશ પણ નહીં જે લોકો મને મારવા માગે છે. :હાર્દિક પટેલનું ટ્વીટ

હું એ લોકો માટે મરવા તૈયાર છું જે લોકો મને પ્રેમ કરે છે

 

અમદાવાદ :SGVP  હોસ્પિટલમાં દાખલ હાર્દિક પટેલે ફરીવાર ટ્વીટ દ્વારા પોતાના દુશ્મનો પર પ્રહાર અને આક્ષેપ બન્ને કર્યા છે. હાર્દિકે કહ્યું કે હું લોકો માટે મરવા તૈયાર છું જે લોકો મને પ્રેમ કરે છે. પણ કેટલાક લોકો મને જીવતો જોવા નથી માગતા,અને તેવા લોકો માટે મરીશ પણ નહીં જે લોકો મને મારવા માગે છે.

  હાર્દિકની સારવારને લઈ મનોજ પનારાએ પણ ગઈકાલે કહ્યું કે તેમને સરકારી હોસ્પિટલ અને સરકારી સારવાર પર શંકા છે. અને વિશ્વાસ નથી. ત્યારે હાર્દિકનું નવુ ટ્વીટ ફરી એક વખત સવાલ ઉભો કરે છે કે શું હાર્દિકના જીવનું જોખમ છે. કેમ વારંવાર હાર્દિક અને તેના સમર્થકો કહી રહ્યા છે કે હાર્દિકની સુરક્ષા જરૂરી છે.

(10:24 pm IST)