Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગોધરાની જૂની મામલતદાર કચેરીમાં ખોદકામ વેળાએ પૌરાણિક પ્રતિમાઓ - શિલ્પો મળ્યા : લોકોમાં કુતુહલ

કેટલાક વિવિધ આકારમાં કોતરણી વાળા પથ્થરો પણ મળી આવ્યા

ગોધરાની જૂની મામલતદાર કચેરીમાં ખોદકામ દરમિયાન પૌરાણિક પ્રતિમાઓ મળી આવતા લોકોમાં કુતુહૂલ ફેલાઇ ગયું હતું. ગોધરાની 100 વર્ષ જૂની મામલતદાર કચેરીને તોડીને નવી કચેરી બાંધવાની કામગીરી ચાલી રહી છે. આ કામ દરમિયાન એક સ્થળે જેસીબી દ્વારા ખોદકામ કરતા સમયે જૂના સમયના શિલ્પો નીકળી આવ્યા હતા. તેમાં કેટલાક વિવિધ આકારમાં કોતરણી વાળા પથ્થરો પણ હતા. આ સમાચારથી વાસ્તુકારો તથા શિલ્પકારોમાં એક વિશેષ પ્રકારની લાગણી ફેલાઇ છે.. તેમના મતે આ અવશેષો દ્વારા જેતે સમયની સંસ્કૃતિ પર પ્રકાશ પડશે અને નવી જાણકારી પ્રાપ્ત થશે.

(8:17 pm IST)