Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ખાંધલીના તળાવમાં કમળ લેવા જવાના બદલામાં આ શખ્સને મોત મળ્યું

આણંદ: તાલુકાના ખાંધલી ગામે આવેલા તળાવમાં આજે સવારના સુમારે કમળના ફુલો લેવા માટે ગયેલા એક યુવાનનું ડૂબી જવાને કારણે મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે

 


પ્રાપ્ત વિગતો અનુસાર ખાંધલી ગામે રહેતો ૩૮ વર્ષીય રાજેશભાઈ ઉર્ફે જોઈતાભાઈ સોલંકી ઉર્ફે સીમો નામનો યુવાન શ્રાવણ મહિનો ચાલતો હોવાથી બસસ્ટેન્ડ પાછળ આવેલા કુંભળીયા તળાવમાં ઉગેલા કમળના ફુલો કાઢીને વેચવાનો ધંધો કરતો હતો. આજે સવારના સુમારે તે કમળના ફુલો લેવા માટે તળાવ પર ગયો હતો જ્યાં પગ લપસતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની જાણ પોલીસ અને આણંદ ફાયરબ્રીગેડને કરવામા આવતાં તેઓ આવી ચઢ્યા હતા. ફાયરબ્રીગેડના તરવૈયાઓએ તળાવમાં શોધખોળ કરીને લાશને શોધી કાઢી બહાર કાઢી હતી. આણંદ રૂરલ પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી

(4:41 pm IST)