Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજયમાં ખેડૂતોના દેવા માફ કરોઃ NCP મેદાનમાં

ખેડૂતોના વિવિધ પ્રશ્ને સરકારને ઢંઢોળશેઃ આગામી સમયમાં દરેક જિલ્લામાં રજુઆત સહિતના કાર્યક્રમોઃ દિલીપસિંહ વાઢેર

રાજકોટ તા.૮: રાજયનાં ખેડૂતોના દેવા માફી સહિતના પ્રશ્ને રાજય સરકારને ઢંઢોળવા માટે આગામી સમયમાં દરેક જિલ્લા માં એનસીપી દ્વારા રજુઆત સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું રાજકોટ મહામંત્રી દિલીપસિંહ વાઢેરે એક યાદીમાં જણાવ્યું હતું.

આ અંગે એનસીપીના રાજકોટ શહેર મહામંત્રી દિલીપસિંહ વાઢેરે એક યાદીમાં જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર, પ્રફુલભાઇ પટેલ, ગુજરાતના અધ્યક્ષ જયંતભાઇ પટેલની આગેવાનીમાં રાજયમાં ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોના જણસના પોષણક્ષમ ભાવ આપો, પાક વિમાની ચુકવણી સહિતના વિવિધ પ્રશ્ને દરેક જિલ્લામાં રજુઆત સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તેમ અંતમાં દિલીપસિંહ વાઢેરે જણાવ્યું હતું.(૧.૩૦)

(4:05 pm IST)