Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પાટિલના ગઢમાં ગાબડું : સુરતમાં ભાજપના 300થી વધુ કાર્યકરો આપ માં જોડાયા

સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા

સુરત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી,તેવામાં છેલ્લા બે દિવસમાં સુરતમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. સી.આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ હોવા છતા તેમના ગઢના કાંગરા એકબાદ એક ખરવા લાગ્યા છે.

 સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી,આર, પાટીલના નાક નીચેથી જ ભાજપના 300 સક્રિય કાર્યકરોને આમ આદમી પાર્ટીમાં જોડ્યા બાદ ઝાડુવાળી પાર્ટીના નેતાઓનો આત્મવિશ્વાસ  7માં આસમાને પહોંચી ચુક્યો છે. આ અંગે આપના નેતાઓનું કહેવું છે કે, "અમારી સ્વચ્છ રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપના કાર્યકરો અમારી સાથે જોડાઈ રહ્યાં છે અને લાઈન જોડાવાની યથાવત છે. જેનું અમે સ્વાગત કરીએ છીએ 

(10:44 pm IST)