Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રિપેરિંગ માટે બંધ કરાયેલા રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર બાઇકોની અવર જવર જોખમી

રવિવારે રાત્રે એક બાઈક સવાર પુલ ના જોઈન્ટ ના ખાડા માં ભયંકર રીતે પટકાતા ગંભીર ઘાયલ થયો: રોજિંદા અકસ્માત થવા છતાં તંત્ર બિન્દાસ,અધખુલ્લો બંધ રખાયેલો પુલ સદંતર બંધ ક્રાઇ તે જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ નદીના ઓવરા ઉપર બનેલા રામગઢ જતા પુલમાં થોડા સમય પહેલા તિરાડો પડતા એક તરફનો પીલ્લર બેસી ગયો હોવાની બુમ ઉઠી હતી ત્યારબાદ તંત્ર સજાગ થયું અને તેના રિપેરિંગ માટે કામ શરૂ કર્યું જેમાં પુલની બંને તરફ અધખૂલી જાળીઓ લગાવી વાહનોની અવર જવર બંધ કરવા પ્રયાસ કર્યો પરંતુ શોર્ટકટ અપનાવવા લોકો જાડી હટાવી પુલ ઉપરથી બાઇકો લઈ પસાર થતા રવિવારે રાત્રે એક બાઈક ચાલક પુલ પરથી પુરપાટ જતી વેળા જોઈન્ટ રિપેરિંગ માત્ર પુલ પર ખોદાયેલા ખાડામાં પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા લોકટોળા એકઠા થયા બાદ તેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયો હતો ત્યારે ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ પટકાયેલો આ વ્યક્તિ મરતા બચ્યો હતો,તો શું તંત્ર કોઈનો ભોગ લેવાયા બાદ પુલ ને યોગ્ય રીતે બંધ કરશે..? પુલ નું કામ સંપૂર્ણ પૂરું ન થાય ત્યાં સુધો બંને બાજુ યોગ્ય અવરોધ લગાવવામાં આવે તે જરૂરી છે.

(10:33 pm IST)