Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદના ગોમતીપુરમાંઆડા સંબંધની શંકા પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા: પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન

ફોનમાં કોઈ સાથે વાત કરતા પતિને શંકાનો કીડો ઘુસ્યો હતો :બંને વચ્ચે ઝઘડો થતા ફોન તોડી નાખ્યો હતો

 

અમદાવાદના ગોમતીપુરમાં પત્નીના આડા સબંધની શંકાએ પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કર્યા બાદ પતિએ કપડાં ધોઇ નાંખ્યા હતા અને પછી પોતાના દીકરાને લઇ માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તે જાતે ગોમતીપુર પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો. પોલીસે હત્યારા પતિની ફરિયાદ લઇ તેની ધરપકડ કરી છે.

 ચારિત્ર અંગે વારંવાર પતિ શંકા કરતા પત્ની રિસામણે જતી રહી હતી અને જે દિવસે રાત્રે 12.30 વાગ્યે પરત ફરી તે દિવસે રાત્રે 2.30 વાગ્યે પતિએ હત્યા કરી હતી.

   અંગે મળતી માહિતી મુજબ ગોમતીપુર ગરીબ આવાસ યોજના ખાતે રહેતો સંજય જીવણભાઇ પરમાર લોડિંગ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2009માં તેને ઘી કાંટા ખાતે નોકરી કરતી અરૂણા દંતાણી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જો કે, લગ્ન બાદ અરૂણાના માતા પિતા નારાજ હોવાથી તેમને સબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરૂણા, સંજય અને તેમનું એક સંતાન ગોમતીપુર ખાતે રહેતા હતા.

   માર્ચ 2019માં સંજય બપોરે અચાનક ઘરે જતા અરૂણા કોઇની સાથે ફોન પર વાત કરતી હતી. પરંતુ સંજયે પુછતા તેણે કોઇની સાથે વાત કરતી હોવાનું જણાવ્યું હતું. તે સમયે બન્ને વચ્ચે ઝઘડો થતા સંજયે ફોન તોડી કાઢ્યો હતો. 15 દિવસ પહેલાં સંજય ઘરે પહોંચ્યો ત્યારે પણ અરૂણા કોઇની સાથે વાત કરતી હતી. જેથી ફરીથી સંજયે ફોન તોડી કાઢ્યો હતો. પછી સંજયે પત્નીને વાત કરવા માટે નવો ફોન-સિમકાર્ડ લઇ આપ્યું હતું

(11:44 pm IST)