Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પોલીસ હવે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢશે તો પગલા લેવાશેઃ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવે અને જસ્ટીશ બીરેન વૈષ્ણવની બેંચ દ્વારા ગુજરાત પોલીસને એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારાપકડવામાં આવતા આરોપીને જાહેરમાં મારવા અને તેમનું સરદ્યસ કાઢવા સામે નારાજગી વ્યકત કરતા આ મામલે ગુજરાત સરકારને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગરના કુખ્યાત શૈલેષ દ્યાંદ્યલીયાને પકડયા બાદ ભાવનગર પોલીસ દ્વારા શૈલેષને ભરબજારમાં લાવી તેનું સરદ્યસ કાઢવામાં આવ્યું હતું અને તેને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો, આ દ્યટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પીટીશન થઈ હતી.જેમાં પોલીસ દ્વારા આરોપીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આરોપ મુકી કાયદાની વિરૂધ્ધમાં આરોપીનું સરદ્યસ કાઢવા ઉપર પોલીસ દ્વારા આરોપીઓને કુકડો બનાવવામાં આવતો હોવાની રજૂઆત થઈ હતી.

આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી પોતાની પક્ષ રજુ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યુ હતું, આવી દસ દ્યટનાઓ સરકારના ધ્યાનમાં આવી છે. આવી દ્યટના માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમજ તેમને નિયમ પ્રમાણે કડક શિક્ષા પણ કરવામાં આવશે, હાઈકોર્ટ દ્વારા સરકારના જવાબ બાદ સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ પ્રકારના કામ કરતા પોલીસ અધિકારીને રોકવા માટે રાજય સરકારે દ્વારા સમગ્ર પોલીસ અધિકારીઓને આ પ્રવૃત્ત્।ી રોકવા માટે નિર્દેશ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવા આદેશ સાથે પીટીશનનો નિકાલ કર્યો હતો.

હાઈકોર્ટના આ આદેશ બાદ હવે પોલીસ જાહેરમાં આરોપીનું સરદ્યસ કાઢી શકશે નહીં

(5:35 pm IST)