Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

અમદાવાદના બળદેવજી સોલંકીએ મુખ્યમનત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માંગણી

-છેલ્લા 15 વર્ષથી બળદેવજી સ્પાઈનલ મસક્યુલર એટ્રોફી નામની બિમારી છે અને પથારીવશ છે

અમદાવાદ :સુપ્રીમ કોર્ટ દ્વારા ઈચ્છામૃત્યુને મંજૂરી અપાઈ છે અમદાવાદનાં એક દર્દીએ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સમક્ષ ઈચ્છામૃત્યુની દરખાસ્ત મૂકી હોવાંનું જાણવા મળે છે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં રહેતા બળદેવજી સોલંકી પાછલાં 15 વર્ષથી સ્પાઈનલ મસક્યુલર એટ્રોફી નામની બિમારીથી પીડાઈ રહ્યાં છે.

    પરીવારજનોએ અનેક પ્રકારની સારવાર કરાવી હોવાં છતાં સકારાત્મક પરિણામ ન દેખાતાં તેમણે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. દર્દી પાછલાં 15 વર્ષથી પથારીવંશ છે અને તેઓ કંઈ પણ પ્રવૃતિ કરી શકતાં નથી.ઉઠવા, બેસવા અને ઉંઘવાથી લઈને તમામ પ્રક્રિયાઓ પર દર્દીએ પરીવારજન પર જ નિર્ભર રહેવું પડે છે. દર્દી બળદેવજી કાપડ વણવાનું કામ કરતાં હતાં પરંતુ 15 વર્ષ પહેલાં ઠોકર વાગતાં તેઓ અચાનક પડી ગયાં હતાં અને ત્યાર બાદ તેઓ બિમારીમાં સપડાઇ ગયાં હતાં.

(8:54 pm IST)