Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના સાવચેતી : રાજપીપળા શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના વાયરસ ની સાવચેતીના ભાગરૂપે જ્યારે નર્મદા માં એક પણ પોજેટિવ કેસ નથી છતાં આરોગ્ય વિભાગ સતત સતર્કતા જાળવે છે એ માટે દરેક પ્રકારની સાવચેતી રાખી જરૂરી પગલાં લઈ રહ્યું હોય તેના ભાગરૂપે રાજપીપળા શહેરમાં સતત ફરજ બજાવતા ૧૫૦ જેવા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્કેનિંગ કરાયું હતું.આમ તો આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા લગભગ તમામ કર્મચારીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું છે પરંતુ હાલ રાજપીપળા ખાતે સતત ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ,જીઆરડી જવાન સહિતના તમામ ૧૫૦ જેવા પોલીસ ખાતાના કર્મચારીઓનું પણ થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

(6:42 pm IST)