Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો:માતાએ મોબાઈલ નહિ આપતા સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો:માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કરતા સગીરાને માઠું લાગી જતા રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આપઘાત કર્યો

સુરતમાં મોબાઈલ આપઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

   જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

(12:21 am IST)