Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

અધમતાની પરાકાષ્ટા : દહેજ લોભિયા સાસરિયાઓએ

૨૦ વર્ષની પરિણીતાને રાત્રે લાત મારી ઉઠાડી, ઘર પાસે થાંભલે બાંધી જીવતી સળગાવી દીધી

આણંદ તા. ૮ : બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતાં લક્ષ્મીબેન સામંતસિંહ પરમારની દીકરી હર્ષાબેન (ઉ.વ.ર૦)ના લગ્ન રાજુ ભીખા સિંધાના દીકરા જયદીપ સિંધા રહે. બદલપુર મોતીપુરા સીમ સાથે આજથી દોઢ બે વર્ષ પહેલા થયા હતાં લગ્ન બાદ દહેજમાં સોના-ચાંદીના દાગીના માંગણી કરી હર્ષાબેનને તેના સાસરિયાના કૈલાશ રાજુ સિંહ ધારા દ્વારા અવાર નવાર દહેજ બાબતે મહેંણા ટાંણા મારી શારીરિક માનસીક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ બાબતે હર્ષાબેનને તેના પિયરમાં પણ મર્યાદીત પ્રમાણમાં મોકલવામાં આવતી હતી. સતત માનસિક ત્રાસ અને શારીરિક અત્યાચારના કારણે ભાંગી પડેલા હર્ષાબેન ગત ૧લી તા.ના રોજ સવારે પ વાગ્યાના સુમારે ઘરમાં સૂઈ રહ્યાં હતાં. ત્યારે હેવાન બનેલા સાસરિયાએ હર્ષાબેનને લાત મારીને જગાડયાં હતાં. તથા શરીર પર અનેક મુક્કાઓ મારી ઘર પાસે લાકડાની થાંભલી પર દોરડા વડે બાંધી દીધા હતાં. અને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી સળગાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો હોવાનું અમદાવાદના અખબારોમાં પ્રસિધ્ધ થયું હતું.(૨૧.૧૩)

(11:29 am IST)