Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અમદાવાદમાં કાલે મણિનગર વલ્લભધામ હવેલીનો દશાબ્દી મહોત્સવ

અમદાવાદ, તા.૮ : અમદાવાદના મણિનગરમાં આવેલ વલ્લભધામ હવેલીનો દશાબ્દી મહોત્સવ કાલે તા.૯ થી ૧૧ના રોજ ઉજવાશે. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય રાજેશકુમારજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.૯ને સાંજે ૫ વાગ્યે ભવ્ય છપ્પનભોગ ધરાવાશે. તેમજ તા.૧૦ને સવારે ૧૦ વાગ્યે બેન્ડવાજા તથા વૈષ્ણવચિહ્નો, ડંકા, આયુધો સાથે શોભાયાત્રા, બપોરે ૧૨ વાગ્યે મહારાજની વૈીદક પૂજાવિધિ કરવામાં આવશે. જેમાં વૈષ્ણવાચાર્ય તથા વિદ્યાવાન પંડિતજીઓ ઉપસ્થિત રહેશે. તેમજ તા.૧૧ના રોજ સવારે ૧૦ વાગ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમ એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૫)

(2:42 pm IST)