Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જમીન સુધારણા કમિશનર તરીકે રમેશચંદ્ર મીના

રાજકોટ તા ૮  : રાજય સરકારે આઇ.એ.એસ. કેડરના ૩ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (એન.આર.આઇ.) ના સચિવ રમેશચંદ્ર મીનાની કમિશનર ઓફ લેન્ડ રીફોર્મસ તરીકે મુકવામાં આવ્યા છે. તેમનો સામાન્ય વહીવટ વિભાગનો ચાર્જ જળસંપતિ વિભાગના ધનંજય ત્રિવેદીને સોપાયો છે શ્રી મીનાની નિમણુંકથી શ્રી પંકજકુમાર મહેસુલના વધારાના ચાર્જમાંથી મુકત થશે.

સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર બી.એ. શાહને ઉર્જા વિકાસ એજન્સીના નિયામક બનાવાયા છે. તેમના સ્થાને રજીસ્ટ્રાર તરીકે શાળાઓ માટેના નિયામક ડી.પી. દેસાઇને મુકાયા છે. શાળાઓના નિયામકનો વધારાનો હવાલો સર્વ શિક્ષણ અભિયાનના નિયામક પી. ભારથીને સોપવામાં આવ્યો છે.

(4:26 pm IST)