Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સુતેલ પરિવારના ઘરમાંથી તસ્કરો 16 લાખથી વધુની મતા ચોરી છૂમંતર....

અમદાવાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં નારણપુરાના વિજયનગરમાં રેખા પાર્ક સોસાયટીમાં તસ્કરો કેમિકલના ધંધાર્થીના બંગલામાં ત્રાટક્યા હતા. વેપારીનો પરિવાર સૂતો રહ્યોને તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોક્ડ, ડોલર અને પુત્રીનો પાસપોર્ટ મળીને કુલ ૧૬ લાખથી વધુની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. વેપારીની પત્ની પરોઢે જાગી ત્યારે રસોડાના દરવાજો અને બારીના સળીયા વળેલા જોઈને બનાવની જાણ પતિને કરી હતી. વેપારીએ તપાસ કરતા ઉપરના માળે આવેલા કબાટમાંથી તસ્કરો દાગીના, ત્રણ લાખની રોક્ડ, એક હજાર ડોલરની ૧૦૦ના દરની દસ ચલણી નોટો અને પાસપોર્ટ લઈ ગયા હતા. નવરંગપુરાના કળશ કોમ્પ્લેકક્ષમાં કેમિકલનો વેપાર કરતા મનિષભાઈ દેવેન્દ્રભાઈ શાહ (ઉં, ૫૪)એ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જે મુજબ ગત રવિવારે રજા હોવાથી મનિષભાઈ પત્ની તેજલબહેન સાથે ગાંધીનગરની હોટલ લીલામાં જમવા માટે ગયા હતા. વેપારીની નાની પુત્રી ઘરે એકલી હાજર હતી. દંપતી જમીને રાત્રે ૧૧ વાગ્યે ઘરે પરત ફર્યા બાદ ૧૧.૪૫ વાગ્યે બંન ેસૂઈ ગયા જ્યારે બીજા રૂમમાં પુત્રી સુતી હતી.

(4:56 pm IST)