Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

અમદાવાદમાં જુદા-જુદા ત્રણ આત્મહત્યાના બનાવોમાં ત્રણના મોત

અમદાવાદ:શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ત્રણ બનાવો બનતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ગોમતીપુર વિસ્તારમંા વિક્રમ મિલની સામે આવેલ પઠાણની ચાલી ખાતે રહેતી કિરણબહેન મુકેશભાઇ વૈશ્ય નામની મહિલાએ શ્વાસ અને બીપીની બીમારીથી કંટાળી જઇ સાંજના છ વાગ્યે પોતાના ઘરમાં જ પંખાના હૂકમાં નાયલોનની દોરી બાંધી ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે અમરાઇવાડીમાં ભીલવાડા નજીક આવેલ શક્તિનગર વિભાગ-૬ ખાતે રહેતા સંદીપ પરસોત્તમભાઇ હડીયલ નામના રર વર્ષના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ રાત્રીના સમયે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી સઘન પૂછપરછ કરી લોકોના નિવેદન લીધા હતા પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ ઉપરાંત બાપુનગરમાં ભીડભંજન પાસે આવેલી ફકીરદાસની ચાલી ખાતે રહેતા દીપક ચંદુજી ઠાકોર નામના ૧૮વર્ષના એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું શારદાબહેન હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

(5:39 pm IST)