Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

રૂપાણી સરકારના ઉજવણીના કાર્યક્રમો આજના બદલે આવતા બે-ચાર દિ'માં

સુષ્મા સ્વરાજના દેહવિલયના કારણે શોકનું વાતાવરણ

પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ હતો. તેઓ અનેક વખત ગુજરાત આવ્યા હતાં. આ તસ્વીર જાન્યુઆરી ર૦૧૯ ના વાઇબ્રન્ટ સમિટ પ્રસંગની છે. જેમાં સુષ્મા સ્વરાજ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉપસ્થિત છે.

રાજકોટ તા. ૭ :.. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલના નેતૃત્વમાં રાજય સરકારને ત્રણ વર્ષ પૂરા થયા છે. આજે સુશાસનના ચોથા વર્ષનો આરંભ થયો છે. રાજય સરકાર દ્વારા આજે મહાત્મા મંદિરમાં ઉજવણી કાર્યક્રમો અને નવી યોજનાઓની જાહેરાત કરવાનું આયોજન કરાયેલ પરંતુ પૂર્વ વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજના અણધાર્યા નિધનથી આજના ઉજવણી કાર્યક્રમો મોકૂફ રહ્યા છે.

રાજય સરકાર દ્વારા ઉજવણીની નવી તારીખની ટુંક સમયમાં જ જાહેરાત થઇ જશે. આવતા બે-ચાર દિવસમાં જ કાર્યક્રમો ફરીથી યોજાય તેવા નિર્દેષ છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ સુષ્મા સ્વરાજના નિધન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પી છે.

(1:20 pm IST)