Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા

ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી :ગુજરાત પ્રધાનમંત્રીનું આભારી છે:મુખ્યમંત્રી: મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાને પ્રમોશન : શ્રીમતી દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ર્ડા.મહેન્દ્ર મુંજપરાનો મંત્રીમંડળમાં સમાવેશ

અમદાવાદ :મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.  
મુખ્યમંત્રીએ  પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે તે માટે પ્રધાન મંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં  ગુજરાત ના ત્રણ ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે
મુખ્ય મંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે.
મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદઓ શ્રીમતી દર્શનાબેન જરદોશ (સુરત),  દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને  ર્ડા.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે
મુખ્ય મંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓ ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.

(8:28 pm IST)