Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદ મણિનગરમાં સ્વ.દિલીપકુમારની શ્રદ્ધાંજલી સભા : ધ થર્ડ આઈ યોગ સેન્ટરના સંચાલકોએ આપી શ્રદ્ધાંજલી દિલીપ કુમારના ડુપ્લીકેટ કલાકારે પણ શ્રદ્ધાંજલી આપી હતી.

અમદાવાદઃ બોલીવૂડના લીજેન્ડ સુપર સ્ટાર દિલીપકુમારની વસમી વિદાયથી તેમના કરોડો ચાહકોએ તેમને ભાવભીની અંજલિ આપીને અલવિદા કહ્યું છે, તેમના ચાહકો દુખી છે અને તેમની ખોટ પુરી શકાય તેમ નથી. જો કે આ મહાન અભિનેતા કાયમ તેમના શાનદાર અભિનયથી સૌ કોઇના દિલમાં હંમેશા રહેશે.

મણિનગર ના ધ થર્ડ આઈ યોગ સેન્ટરમા યોગીઓએ પ્રાર્થના સભા કરીને શ્રદ્ધાંજલિ આપી છે અને તેમના અદાકારીને યાદ કરીને તેમના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું છે. અહીં દિલીપ કુમારના ડુપ્લીકેટ કલાકારે પણ શ્રદ્ધાંજલી આપી હતી.

(8:16 pm IST)