Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે 31 લાખનું એક કિલો સોનાનું દાન :ઓળખ જાહેર કરવા ઇન્કાર

 

બનાસકાંઠાના અંબાજીમાં આવેલા અંબાજી મંદિરના સુવર્ણ શિખર માટે એક ભક્તે 31 લાખની કિંમતનું એક કિલો સોનાનું દાન કર્યું છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાનાં દર્શને આવે છે. ભક્તો તેમની યથાશક્તિ પ્રમાણે અંબાજી મંદિરમાં દાન આપતા હોય છે.ઘણા મંદિરોમાં ભક્તો મોટુ દાન આપીને ચોંકાવી દેતા હોય છે. કેટલાક ભક્તો લાખોનું દાન આપીને પણ પોતાની ઓળખ જાહેર કરતા નથી.

  તાજેતરમાં પણ અંબાજી મંદિરને એક ભક્તે 1 કિલો સોનાનું દાન આપ્યું હતું. અંબાજી મંદિરનાં સુવર્ણ શિખર માટે એક ભક્તે પોતાની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કરતા 1 કિલો સોનાનું દાન આપ્યું હતું

(10:20 pm IST)