Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પ્રવિણ તોગડીયા સહિતના વિશ્વ હિન્દૂ પરિષદમાંથી મુક્ત કરાયા: સત્તાવાર જાહેરાત

પ્રવિણ તોગડિયા અને મહાવીરજી ઉપરાંત કૌશિક મહેતા, રણછોડ ભરવાડ, રોહિત દરજી, મુક્તા કમાણી, માલા રાવલને પણ મુક્ત કરાયા

 

અમદાવાદ :ગુજરાતમાં વિશ્વ હિંદૂ પરિષદના કેટલાંક નેતાઓને તેમની જવાબદારીમાંથી મૂક્ત કરી દેવામાં હોવાની સત્તાવાર જાહેરાત વિશ્વ હિંદૂ પરિષદ દ્વારા કરાઈ છે વીએચપી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં પ્રવિણ તોગડિયા તેમજ તેમની નજીક ગણાતા કેટલાંક સાથીઓને જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં હોવાની જાહેરાત કરવામાં આવી છે.

   પ્રેસનોટ થકી હવે પ્રવિણ તોગડિયા અને મહાવીરજી વિશ્વ હિંદૂ પરિષદમાં હોવાનું જણાવાયું હતું. ઉપરાંત કૌશિક મહેતા, રણછોડ ભરવાડ, રોહિત દરજી, મુક્તા કમાણી, માલા રાવલને પણ વિશ્વ હિંદૂ પરિષદમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

(10:46 pm IST)