Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

અમરાઈવાડીમાં પેટ્રોલ આપવાની ના કહેતા દંપતીએ કર્મીને ધોકાવ્યો

અમદાવાદઃ શહેરના ખોખરા નજીક આવેલા અનુપમ સિનેમા પાસેનો પેટ્રોલ પંપ મોડી રાત્રે બંધ હોવા છતાં પતિ-પત્નીએ પેટ્રોલ ભરી આપવાનું કહ્યું હતું. પરંતું પમ્પના કર્મચારીએ પેટ્રોલ આપવાની ના કહેતા આરોપીઓએ ફોન કરીને 4-5 લોકોને બોલાવ્યા હતા. આ શખ્સોએ પેટ્રોલ પમ્પ પર તોડ ફોડ કરીને કર્મચારીને માર માર્યો હતો.

આ અંગે પીડિત કર્મી સુરેશ ભાઈએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી નાબુદનશી ઉપરાંત તેની પત્ની પણ ઘટનામાં સામેલ હતી. પેટ્રોલ ભરાવા ગયેલા શખ્સોએ પમ્પ કર્મચારી સાથે મારામારી કરીને પંપ પર તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

(6:25 pm IST)