Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ઓખાના મોટી રકમના શૌચાલય તથા ખેત તલાવડી કૌભાંડમાં જીએએસ ગૌરવ પંડયાનું માર્ગદર્શન મળશે

રાજકોટ :. ગુજરાતના ઈતિહાસમાં સર્વપ્રથમ વખત જીએએસ કેડરના ડાયરેકટર ઓફ સીવીલ સપ્લાયના ડે. ડાયરેકટર ગૌરવ રમેશચંદ્ર પંડયા નામના અધિકારીને ૬ માસ માટે એસીબીમાં અપાયેલી નિમણૂકની ચર્ચા ચોતરફ ચાલે છે ત્યારે તેમને એસીબીમાં નિમણૂક આપી એસીબી ડાયરેકટરે એક નવો પ્રયોગ કર્યો છે. ઓખાના શૌચાલય કૌભાંડ તથા કચ્છ સહિતના મસમોટા ખેત તલાવડી કૌભાંડ અને જમીન વિકાસ નિગમમાં ચાલતા ભ્રષ્ટાચારનો જે પર્દાફાશ થયો છે તે કિસ્સામાં ઉકત અધિકારીનું માર્ગદર્શન મેળવવામાં આવનાર છે.

(3:26 pm IST)