Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

વડનગરના વાગડી પાસે સાબરમતી નદીમાં ત્રણ પટેલ મિત્રો ડૂબી ગયા તે પૂર્વેની છેલ્લી સેલ્ફી

૧૧ યુવાનો રજામાં ફરવા નિકળેલ અને ન્હાવા પડેલઃ બાકીનાને બચાવી લેવાયા

વડનગર તા. ૭ : વડનગર તાલુકાની જૂની વાગડી ગામેથી પસાર થતી સાબરમતી નદીમાં રવિવારે નાહવા પડેલા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તાના ૧૧ યુવાન પૈકી ૬ યુવાન પાણીમાં ગરકાવ થઈ જતાં ૩ ને બચાવી લેવાયા હતા જયારે ત્રણ યુવાનો આયુષ કેતનભાઈ પટેલ, ભવ્ય પરેશભાઈ પટેલ અને મિહિર નિર્મલભાઈ પટેલ ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. આયુષ ૧૨ કોમર્સમાં, ભવ્ય ૧૨ સાયન્સમાં અને મિહિર ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા હતા. બચી ગયેલા યુવાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહનું વડનગર સિવિલમાં પીએમ કરાવી મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા. રવિવારે રાત્રે ત્રણેયના મૃતદેહ અમદાવાદ લવાયા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ફરવા નીકળેલા યુવાનો સપ્તેશ્વર મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ ત્રણ મિત્રોનાં મોત થતાં મંદિરે દર્શન કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. ઉપરની તસ્વીરમાં એક મિત્રએ લીધેલ છેલ્લી સેલ્ફી...

(3:18 pm IST)