Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પાણીના પોકાર વચ્ચે રૂપાણી સરકાર દ્વારા ખોટી જાહેરાતો

ગાય માતા સહિત લાખો પશુ મોતના મુખમાં : કોંગી : ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા જળસંચયનું નાટક : કોંગ્રેસ

અમદાવાદ,તા.૬ : ૨૦૧૬માં ગુજરાત વિધાનસભમાં ગુજરાત સરકારે રાજપાલના પ્રવચનમાં જળ વ્યવસ્થાપન અંગે એવું કહેડાવ્યું હતું કે, ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે સુકા ખેતરો, પલાયન કરતું પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતાં ખેડુતો હવે ભૂતકાળની વાત બની ગઈ છે. બહુ-આયામી જળ-વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે. આ અવિરત પ્રયાસોનું પરિણામ ૨૦૧૮ના મે માસમાં શૂન્ય છે. ૨૦૧૬માં આવી વાત કરનાર શાસક પક્ષ એમ કહે છે કે જળ અભિયાન પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે. આ કેવી રીતે માની શકાય. શહેરોની સ્થિતિ તો અતિ ગંભીર છે. શહેરોમાં આવેલા કેટલાક તળાવોમાં વરસાદી પાણીના સંગ્રહની યોગ્ય વ્યવસ્થા નથી. અન્ય તળાવોમાં જતી સ્ટોર્મ વોટર લાઈનને બદલે વરસાદી પાણી ગટર લાઈનોમાં વહી જાય છે. ટૂકમાં શહેર તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાને બદલે સીધું ગટરમાં વહી જવા દેવાય છે તે જોતાં ૨૦૧૮ના ચોમાસામાં કેટલું વરસાદી પાણી સંગ્રહ થઈ શકશે તે એક મોટો સવાલ છે. એકંદરે જોતાં આગામી બે માસમાં પીવાના પાણી માટે સરકારે કોઈ ઠોસ પગલાં લીધા હોય તેવું જણાતું નથી. ભવિષ્યનો વિચાર સફળ થાય પણ વર્તમાનની ભારે કટોકટીનો ઉકેલ શાસકો પાસે જણાતો નથી તે સ્વયં સ્પષ્ટ વાત છે અને તેનું કારણ ૨૦૧૭ના છેલ્લા ૬ મહીનામાં પાણીનો કરેલો અક્ષમ્ય વેડફાટ જવાબદાર છે ત્યારે ભાજપ સરકારના પાપે ઉભા થયેલા જળ સંકટથી પરેશાન પ્રજાનું ધ્યાન અન્યત્ર દોરવા જળ સંચયનું નાટક અંગે રૂપાણી સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે પીવાના પાણીની અછત ગુજરાતની મોટી સમસ્યા બનતી જાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી છે જ નહીં અને શહેરમાં પાણીની અછત રાજ્યની મોટી સમસ્યા બનતી જાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી છે જ નહીં અને શહેરોમાં પણ પાણીની વ્યવસ્થા ટેંકરો દ્વારા ઉભી કરાઈ રહી છે. આ વર્ષે સમગ્ર ગુજરાત પાણીની તંગીથી ઝઝુમી રહ્યું છે. આગામી દિવસોમાં પીવાના પાણીનું સંકટ વધુ ઘેરું બનતું જશે.

 

(9:25 pm IST)