Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

અમદાવાદમાં કુખ્યાત મહાલિંગમે ફાયરીંગ કરતા નાસીર કીટલીનું મોતઃ ગુનેગારોને ડામી દેવા લોકોની માંગ

અમદાવાદઃ અમદાવાદમાં કુખ્યાત શિવા મહાલિંગમે ફાયરીંગ કરીને નાસીર કીટલીને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે.

વોન્ટેડ ગુનેગાર શિવા મહાલિંગમે સરળતાથી સતત ધમધમતા જાહેર રસ્તા ફાયરીંગ કર્યુ.ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.

અને આ સમગ્ર ઘટનાને લઈ શહેરવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.અને બેફામ બની રહેલા ગુનેગારોને ડામી દેવા માટે લોકો માંગ કરી રહ્યા છે.ફાયરીંગ ઘટનાને લઇને સમગ્ર પ્રદેશની પોલીસ દોડતી થઇ હતી.

આપને જણાવી દઇએ કે આ પહેલા પણ અમદાવાદના ફતેહવાડી કેનાલ પાસે ફાયરીંગ વીથ મર્ડરનો બનાવ બન્યો હતો.ફતેહવાડી કેનાલ પાસે આવેલા સાદીકા પાર્કમાં નાસુરીદ્દીન શેખ પર બે રાઉન્ડ ફાયરીંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં પણ પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.હવે પોલીસ આ મામલાની જડ સુધી ક્યારે અને કેવી રીતે પહોચે છે તે જોવું રહ્યું.

(6:22 pm IST)