Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સુરતમાં હત્યા કરાયેલી હાલતમાં કિશોરીનો મૃતદેહ અવાવરૂ વિસ્‍તારમાંથી મળ્યો

સુરતઃ પાંડેસરા વિસ્‍તારમાંથી અવાવરૂ જગ્‍યાઅેથી કિશોરીનો મૃતદેહ મળતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..ત્યાર બાદ તપાસ કરતા કિશોરીના મૃતદેહ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા.હાલ પોલીસે લાશનો કબ્જો કરી પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

કિશોરીની કયા કારણોસર હત્યા કરાઈ.કોણે હત્યા કરી આ તમામ બાબતે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પાંડેસરા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયમાં જ લાશ મળવાનો ચોથો કિસ્સો સામે આવ્યો છે.હત્યાની આશંકા સાથે સ્થળ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,,

આપને જણાવી દઇએ કે પાંડેસરા વિસ્તારમાં અગાઉ પણ એક બાળકની કોહવાયેલી લાશ મળી આવી હતી.ત્યારે તાંત્રિક વિધીમાં બાળકનો ઉપયોગ કરાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે આ કિશોરીની લાશ મળી આવતાં લોકોમાં ફરી તાંત્રિકનો ડર બેઠો છે.

(6:38 pm IST)