Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

પ્રાંતિજ હાઇવે પર તસ્કરોનો તરખાટ:બપોરના સુમારે મકાનમાંથી 1.20 લાખની મતાની ઉઠાંતરી

પ્રાંતિજ:શહેરના હાઈવે ત્રણ રસ્તા પાસે આવેલા અનંતવિલા ફલેટમાં ગુરૂવારના રોજ બપોરના ચાર વાગ્યાના અરસામાં  અજાણ્યા  ઈસમોએ ફલેટનું તાળુ તોળી ઘરમાં પ્રવેશ કરી  તિજોરી તોડી સોનાના દાગીના અને રોકડ રૂ.20,000 સહિત અંદાજીત રૂ.1.30 લાખની મત્તા ચોરી ભાગી છૂટયા હતા.

પ્રાંતિજ શહેરના હાઈવે ત્રણ રસ્તા પાસે આવેલ અનંતવિલા ફલેટમાં રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ દત્ત તેમની દિકરી ને ધો.10ની પરીક્ષા આપવાની હોઈ તેઓ દિકરીને લઈને હિંમતનગર પરીક્ષા આપી પરત ફરી પોતાના ઘરને તાળુ મારી દુકાન પર જતા રહયા હતા.  તે દરમ્યાન  કોઈ અજાણ્યા  શખ્સોએ ગુરૂવારના રોજ ધોળે દહાડે અનંતવિલા ફલેટના પ્રથમ માળે સુરેશભાઈ દત્તના ઘરનું તાળુ તોળી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલી તિજોરી તોડી તેમાંથી ત્રણ સેટ સોનાની બુટ્ટી,કાનની સેરઘસોનાની ચૂની અને દોરા સહિત રૂ.20,000 રોકડા મળી અંદાજિત રૂ.1,30,000ની મત્તાની ચોરી કરી ભાગી છૂટયા હતા.તેમણે આ અંગે ચોરી થયા અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશને કરી છે જેને લઇ પોલીસે પૂછપરછ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

(5:30 pm IST)