Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

આણંદ જિલ્લાના સાણંદ તાલુકા નજીક નર્મદા કેનાલમાથી ભેદી સંજોગોમાં યુવતીની લાશ મળી આવતા તપાસ હાથ ધરાઈ

અમદાવાદ:જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં આવેલી નર્મદા કેનલમાંથી હત્યા કરેલી લાશ મળી આવી હતી, દોરડાથી હાથ અને દુુપટ્ટાથી પગ બાંધેલા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ વ્યક્તિએ  યુવતીની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા મૃતદેહ  કેનાલમાં ફેંક્યો હોવાની શંકા સેવાઇ રહી છે. સાણંદ પોલીસે ખૂનનો ગુનો નોધીને યુવતીની ઓળખ પરખ કરવાની તથા હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસેથી પસાર થતી  નર્મદા કેનાલમાં આજે બપોરે દોરડાથી હાથ અને દુપટ્ટાથી પગ બાંધીને ૨૫ વર્ષીય યુવતીની હત્યા કરલો મૃતદેહ મળી  આવ્યો હતો આ બનાવની જાણ થતાં આસપાસના ગામના લોકો એકઠા થયા હતા.  સાણંદ તાલુકા પંચાયતના સદસ્ય સંજયસિંહે મકવાણાએ  પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિત સાણંદ પોલીસન કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

(5:11 pm IST)