Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભિલોડાના વાઘપુરમાં અગાઉના ઝઘડાની અદાવતમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો થતા ભેદી સંજોગોમાં મોત

ભિલોડા: તાલુકાના વાધપુર ગામના ૫૨ વર્ષિય શખ્સનું બાર દિવસ અગાઉ મોત નિપજતાં શામળાજી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી જરૃરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ આ શખ્સનું મોત માર મારવાથી થયું હોવાના પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃતકના પુત્રની ફરીયાદ બાદ તાલુકા ના જ કુંડોલ ગામના પાંચ શખ્શો વિરૃધ્ધ હત્યા સહિત એટ્રોસીટીનો ગુનો નોંધાયો હતો. જયારે આ ચકચારી મોત પ્રકણે પંથકમાં ભારે તંગદીલીજનક પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા જરૃરી બંદોબસ્ત ગોઠવાયો હતો.

વાઘપુર(ભીમપગલા) ગામના પુનાજી કાવાજી બોડાત નું ગત ૨૫ ડીસેમ્બરના રોજ આકસ્મિક સંજોગોમાં મોત નીપજયું હતું. અને પરિવાારજનો એ આ ૫૨ વર્ષિય મૃતકને દફનાવી દીધા હતા.પરંતુ ઘટનાના થોડાક દિવસો બાદ પોતાના પિતાને બકરા ચોર સમજી કંુડોલ ગામે ઢોર માર મરાતા તેઓનું મોત નીપજયું હોવાનું પુત્ર રમેશભાઈ બોડાતને જાણવા મળતાં શામળાજી પોલીસ સ્ટેશને આ મુદ્દે ફરીયાદ રૃપી અરજી કરાઈ હતી.

 

(5:46 pm IST)