Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ભરૂચના જોલવા ગામે મકાનની દિવાલ ધરાશાયી : બે શ્રમજીવી ગંભીર ઘાયલ

મકાન પાડવાની કામગીરી વેળાએ દુર્ઘટના સર્જાઈ

ભરૂચના જોલવા ગામે મકાન ઉતારવાની કામગીરી વેળાએ અચાનક દિવાલ ધરાશાયી થતાં બે શ્રમજીવી ગંભીર ઘાયલ થતા તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયા હતા.

 મળતી જાણકારી મુજબ ભરૂચ તાલુકાના જોલવા ખાતે એક મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી.દરમિયાન મકાનની દિવાલ એકાએક ધરાશાયી બનવાની ઘટના બનતા મકાન ઉતારવાની કામગીરી કરતા બે શ્રમજીવીઓ સંજય પ્રહલાદ ગૌતમ (ઉ.વર્ષ.૨૬), અસ્ફાક ઇકબાલ ઉ.વર્ષ.૩૦)બંન્ને રહેવાસી અંકલેશ્વર શાંતિ નગરના ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા હતા.જેમને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

(7:51 pm IST)