Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ગાંધીનગરમાં સે-6માં પરિણીતાએ પિયરમાં જવાનું કહી નર્મદા કેનાલ પાસે મોતની છલાંગ લગાવી દેતા પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર:શહેરના સે-૬/બીમાં રહેતી પરિણીતા સવારે ઘરેથી પિયર જવાનું કહીને નીકળ્યા બાદ તેણે નભોઈ નર્મદા કેનાલ પાસે મોતની છલાંગ લગાવી દીધી હતી. ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને કેનાલમાંથી પરિણીતાના મૃતદેહને બહાર કાઢયો હતો. આ ઘટના અંગે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં આપઘાતના બનાવ વધી રહયા છે ત્યારે આજે બપોરના સમયે વધુ એક પરિણીતાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. જે અંગે અડાલજ પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સે-૬/બી પ્લોટ નં.૬૧૪/૧માં રહેતા ૩૦ વર્ષીય સોનલબા અશોકસિંહ ઝાલા ઘરેથી તેમના પુત્ર સાથે પિયર જવાનું કહીને નીકળ્યા હતા.

(5:11 pm IST)