Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

SGVP ગુરુકુલ દ્વારા માઘવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે ચાલી રહેલ ઓન લાઇન કથા પ્રસંગે સંગીત કલાકારોનું સન્માન

ઉના તા.૬ હાલ અધિક માસ અેમાંય કોરોના મહામારીના સમયમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે કોરોના મહામારીનો પ્રકોપ શાંત થાય તેના પ્રાર્થના રુપે અને લોકો ઘેર બેઠા કથાવાર્તા સાંભળી શકે તે માટે SGVP ગુરુકુલ દ્વારા દ્રોણે્શ્વર ગુરુકુલના સ્થાનેથી શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ સત્સંગીજીવન અંતર્ગત અેકાદશીનું મહિમા સમજાવી રહ્યા છે ત્યારે કથા અંતર્ગત આવતા કિર્તનોનું ગાન કરનાર સંગીતકારોમાં દર્શનપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામ ભગત તબલા વાદક કિશોરકુમાર વાણી, મંજીરાવાદક હરિપ્રિયદાસજી સ્વામી અને વર્ણીસ્વરુપદાસજી સ્વામી વગેરે કલાકારો, સંતોનું માઘવપ્રિયદાસજી સ્વામીજીના હસ્તે સન્માન કરવામાં આવેલ.

(12:10 pm IST)