Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સુરતના પાંડેસરા ખાતે DGVCLનો વીજ તાર તૂટીને માથા પર પડતાં યુવકનું મોત:અરેરાટી

જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના કામ કરતો કરતો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય પ્રફુલ ભુર્યા પાંડેસરા જલારામ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના કામ કરતો કરતો હતો. બપોરે પ્રફુલ ઘરે જમીને કારખાને પરત જતો હતો. ત્યારે અચાનક કારખાના નજીક ડીજીવીસીએલનો જીવંત વિજતાર તુટીને તેની ઉપર પડતા કરંટ લાગવાથી પ્રફુલનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

 ઘટનાને પગલે તેના સાથી કારીગરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને હોબાળો મચાવી આસપાસના કારખાના બંધ કરાવી દીધા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારીગરોને સમજાવી મામલો થાળે પાડી ડેડ બોડીને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ પ્રફુલના પરિવારજનોએ DGVCL પર બેદરકારીનો આક્ષેપ મૂકી જવાબદાર અધિકારી પર કારવાઈની માંગ કરી છે

(11:29 am IST)