Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

સુરતના ઉનમાં તસ્કરો ત્રાટક્યા:મકાન માલિક જાગી જતા ગઠિયા બહારથી દરવાજો બંધ કરી રફુચક્કર

સુરત:ઉનગામની જલારામ સોસાયટીમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો ટીવી અને મોબાઇલ ફોન સહિત રૂ. 64 હજારની મત્તા ચોરીને ભાગી રહ્યા હતા ત્યારે ઘર માલિક વૃધ્ધ જાગી ગયા હતા. પરંતુ તસ્કરો દરવાજો બહારથી બંધ કરીને ફરાર થઇ ગયા હતા.

ઉન તળાવ નજીક જલારામ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક સિલાઇ મશીનનું કામ કરી ગુજરાન ચલાવતા મન્સુર મોહમદ ઇસ્માઇલ ઇદ્રીશી (ઉ.વ. 66) ગત રાત્રે જમ્યા બાદ સુઇ ગયા હતા. રાત્રે 2.30 કલાકે ઘરમાં કંઇક અવાજ આવતા મન્સુરભાઇ જાગી ગયા હતા અને તેમણે બે યુવાનને બે થેલા લઇ બહાર જતા જોયા હતા. જેથી તેમણે બુમ પાડી પુછયુ હતું કે તમે કોણ છો. જેથી બંન્ને યુવાનો ઘરનો મેઇન દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગયા હતા. ત્યાર બાદ મન્સુરે લાઇટ ચાલુ કરીને જોતા ઘરમાંથી ટીવી, બે મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ વિગેરે મળી કુલ રૂ. 64 હજારની મત્તા ગાયબ હતી. 

(6:05 pm IST)