Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૪ દિવસમાં ૧૬૫ કેસ થયા

ગરમી વચ્ચે કમળાના ૨૧ કેસો સપાટી ઉપર : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છતાં નવા કેસ સપાટી ઉપર

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૧૬૫ અને ટાઈફોઈડના ૬૭ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૨૧ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ચાર દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૩૬ કેસ અને ઝેર મેલેરીયાના બે કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ચોથ મે ૨૦૧૯ સુધીમાં ૧૨૨૧૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો મે ૨૦૧માં ૨૦૮૭ સિરમ સેમ્પલની સામે ચોથી મે ૨૦૧૯ સુધીમાં ૭૪ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

મે-૨૦૧૮

મે-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૪૫૫

૩૬

ઝેરી મેલેરીયાના કેસો

૦૪

૦૨

ડેન્ગ્યુના કેસો

૨૪

૦૦

ચીકુનગુનિયા કેસો

૦૪

૦૧

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૧૨૫૩

૧૬૫

કમળો

૩૨૧

૨૧

ટાઈફોઈડ

૩૫૯

૬૭

કોલેરા

૦૦

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................... ૨૧૫૬

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના................ ૩૨૩

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા..................... ૨૯

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો...... ૪૨૩

ક્લોરીન ગોળીઓનું વિતરણ......................... ૬૩૫૫

વહીવટી ચાર્જ......................................... ૨૬૫૮૫૦

(9:41 pm IST)