Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

સુરતના અમરોલીમાં ટ્રાફિક કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો

ગઈકાલે વાહન ડિટેઇન કરવા બાબતે ઝઘડામાં વાહન માલિક હરેશ ખાચરનો પગ ભાગ્યો હતો

સુરત :શહેરના અમરોલીના મનીશા ગરનાળા પાસે પોલીસ કોન્સ્ટેબલ પર તલવાર વડે હુમલો થતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને કાફલો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં શહેરના મોટા અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

જે ના પર હુમલો કરવામાં આવ્યો હતો તે પોલીસ કર્મી ટ્રાફિકમાં ફરજ બજાવે છે. ગઇકાલે પોલીસ કર્માચારી પરાક્રમસિંહ ગોહિલે હુમલો કરનારનું વાહન અટકાવ્યું હતું. જે મુદ્દે આજે વાહન માલિકો ઝઘડો કરવા માટે આવ્યા હતા. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં હુમલો કરાનરા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.

પોલીસ દ્વારા ગાડી ડિટેન કરવા બાબતે વાહન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વાહન માલિકનો પગ ભાગી ગયો અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે. વાહન માલિક હરેશ ખાચર પોતે વ્યવસાયે શિક્ષક અને સૂર્યસેના તેમજ કરણીસેનાના ગુજરાતના મંત્રી છે. વાહન માલિક હરેશ ખાચર કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. 

(8:43 am IST)