Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

લગ્નમાં છૂટછાટની મર્યાદા ઘટવાના એંધાણઃ રાજકીય - સામાજિક મેળાવડા પર આવશે નિયંત્રણ

અમદાવાદ :આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને જે નિર્દેશો આપ્યા છે તેમાં લગ્ન જેવા પ્રસંગોમાં હાલ ર૦૦  માણસોને હાજર રહેવાની છુટ છે તેમાં ઘટાડો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ સુચન બાદ રાજય સરકાર ટુંક સમયમાં આવા પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા છે. એટલું જ નહીં રાજકીય અને સામાજિક મેળાવડા - પ્રસંગોમાં પણ કડક નિયંત્રણો આવે તેવી શકયતા છે. સરકાર હાઇકોર્ટના તમામ નિર્દેશો ઉપર ગંભીરતાથી વિચાર કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે.

(4:07 pm IST)