Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

દાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દાંડી માર્ચ સમાપન કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, વિજયભાઇ રૂપાણી જોડાયા

રાજકોટ : દાંડી ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દાંડી માર્ચ સમાપન કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ તેમજ દાંડી યાત્રામાં ભાગ લેનાર યાત્રીઓ જોડાયા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પૂ. ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી-પુષ્પ  દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ હતી. દાંડીકૂચના પદયાત્રીઓ સાથે ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડુ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સંવાદ કર્યો હતો.

(1:36 pm IST)